Friday, December 17, 2010

lalji bhagatસ્નાન કરવાનું નિમિત્ત અનાયાસ પરમાત્માએ ઊભું કર્યું છે ત્યારે ભજનોમાં ગવાયું છે કેનાયા તે નર નિરભે થિયા ને કુડિયા કિનારે બેસી રિયા…’ અદભુત રહસ્ય છે – ‘નિરભેથવામાં. સંતવાણીમાંનિરભેઅનેઅનભેશબ્દ વારંવાર આવે. મનુષ્યને સૌથી મોટો ભય છે મોતનોકાળનોપોતાનો અહંકારપોતાની સત્તાપોતાનું સામર્થ્ય ચાલી જશે તો શું થશે ? બીક ભય મિટાવી દ્યે એનું નામ ભજન. જેનું જીવન નિરભે હોયજે અનભેપદઅભય પદ પામ્યા હોય એની વાણી પણ નિર્ભયવાણી હોય. ભજન ભરોંસે રે નર નિરભે થિયા રે.’ મોક્ષ પદ નહીંનિરભેપદની- અભેપદની પ્રાપ્તિ. અને અભેપદ મેળવવું હોય તો નિર્ગુણનિરાકાર અલખધણીનો આરાધ માંડવો પડે અને અભેપદ મળે ત્યારે અભેદ દર્શન થાય. પછી નારી પુરુષનાસ્વામી- સેવકનાનાના- મોટાનાબ્રાહ્મણ- ભંગીનાઠાકર-ચાકરના અને ઈશ્વર-અલ્લાહના ભેદ ટળી ગયા હોય. સંતકવિ હોથીએ ગાયું છે નેઅલ્લા હો નબીજી રેરામ ને રહેમાન તમે એક કરી માનો દાતા તૂંહિ રે નબીજીતો મિટ જાય ચોરાશી કા ફેરામટી જાય ચોરાશીકા ફેરા રે નબીજી હોઅલ્લા હો.’
મધ્યકાલીન સાહિત્યમાં-ભક્તિસંગીતમાં પદ અને કીર્તન સગુણ સાકારની ઉપાસનાનું શબ્દમાધ્યમ છે સૂર્યોદયથી સૂર્યાસ્ત લગીમંગળા આરતીથી શયનઆરતી લગી ગવાયજ્યારે ભજન નિર્ગુણ નિરાકારની સાથે અનુસંધાન પ્રાપ્ત કરવાની શબ્દસાધના છેજે સંધ્યાથી સાયંકાળથી શરૂ થાયપ્રાતઃકાળ સૂર્યોદય સુધી સમગ્ર રાત્રીદરમિયાન એના ચોક્કસ નક્કી થયેલા સમયમાંચોક્કસ રાગ તાલ ઢાળ ઢંગમાંચોક્ક્સ પ્રકારો મુજબ પરંપરિત ભજનિકો દ્વારા ગવાતી રહે. નિર્મળ સ્વાભાવિક ભાવની પરાકાષ્ઠાએ મનુષ્યને પહોંચાડવા માટેની એક માનસિક સારવાર મેન્ટલ ટ્રીટમેન્ટ ભજનો દ્વારા અપાય. જે માનસિક ચેતનાને સ્થિર કરી સાધકને એક ચોક્કસ ભુમિકાએ પહોંચાડી શકેપણ માટે અધિકારી થવું પડે. પિંડશોધનની ક્રિયામાંથી પસાર થવું પડે.
એવા મારી બાયું રે નર પૂરા રે મળે તો રાવું રેડીએ
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે શું જાણે સમદરિયાની લેરું મારી બાયું રેનર પૂરા રે…’
પણ પૂરા નર થવા માટેની શરતો ઘણી આકરી હોય.
સદગુરુ વચનુંના થાવ અધિકારી પાનબાઈ ! મેલી દેજો અંતર કેરા માન
આળસ મેલીને તમે આવોને મેદાનમાં નેસમજો સતગુરુ ની સાન રે
જ્ઞાનભક્તિ યોગ અને સેવા કે ધર્મ ચાર પ્રવાહોમાં વહેતી આવે છે આપણી સંતવાણી.
કબીર કૂવા એક હૈપનિહારી હે અનેકબરતન ન્યારે ન્યારે ભયેપાની સબનમેં એક.
નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના અને સગુણ સાકાર બ્રહ્મની આરાધનાના બન્ને માર્ગો આપણા પ્રાચીન ઋષિમુનિઓની દેન છે. વેદકાલીન દ્રષ્ટાઓએ બ્રહ્મનાં બે સ્વરૂપોની વાત કરી છે. એક સ્વરૂપ છે ગુણવિશેષઆકાર કે ઉપાધિથી પર એવું નિર્ગુણ- નિરાકાર-નિર્વિશેષ-નિરુપાધિ. અને બીજું સ્વરૂપ છે તમામ બાબતોથી યુક્ત એવું સગુણ સાકાર સવિશેષ સઉપાધિનિર્ગુણ બ્રહ્મને પર અને સગુણ બ્રહ્મને અપર એવાં નામો પણ અપાયાં છે અને એની ઓળખાણ થાય પરાવિદ્યા અને અપરાવિદ્યાથી
પ્રાચીન ભારતીય ઋષિમુનિસિદ્ધયોગીજ્ઞાનીવેદાન્તીમીમાંસકોસાધકોકર્મમાર્ગીઓ દ્વારા બંને ધારાઓનો પ્રચારપ્રસારસંવર્ધન કે ક્યારેક સંયોજન-સંમિલન થતું રહ્યું છે અને એમાંથી ભક્તિજ્ઞાન અને યોગની ત્રિવેણી વહેતી રહી છે.
આજે પ્રકાશિત રૂપમાં ભજનસંપાદન ગ્રંથોમાં જે સંતસાહિત્ય મળે છે તેને ગાનારી અસલ તળપદા જૂના ભજનિકો ભજનગાયકોની માત્ર છેલ્લી પેઢી બચી છે. ભજન વાંચનારાભજન સમજીને ગાનારાભજન ઝીલનારા ને ભજનમાં જીવનારા ભજનિકો આજે નથી રહ્યા. ભજનના ધંધાદારી કલાકારો ઘણા છે. પણ એમને ભજન સાથે નિસ્બત નથીભજનના મર્મ સાથેભજનના શબ્દો સાથેભજનના અર્થ સાથેભજનના ભાવ સાથેભજનના અસલી તળપદા ભક્તિસંગીત સાથે એને લેવાદેવા નથી. મનોરંજનના એક ભાગ તરીકેધંધાદારી ગાયક તરીકે તે ભજનો ગાઈને કમાણી કરે છે.
ભજન એના ચોક્કસમૂળતળપદાપરંપરિત ઢાળ ઢંગ રાગ તાલમાં અસલી મરમી ભજનિક દ્વારા ગવાયશબ્દસૂર ને ભાવનું ત્રિવિધ રસાયન પેદા થાયએનો સાચો મરમ અને ભાવ પ્રગટ થાય ત્યારે એને કહેવાય ભજન કર્યું.
હઠયોગમંત્રયોગલયયોગશબ્દસુરતયોગધ્યાનયોગરાજયોગભક્તિયોગતંત્રમાર્ગનાદાનુસંધાન વગેરે અનેક પ્રકારના સાધનમાર્ગોની સવિશેષ સમજણ આપણાં દેશી ભજનોમાંથી મળી રહે. કાયા કે પિંડ સાથે જોડાયેલી સાધનામન કે બુદ્ધિ સાથે જોડાયેલી સાધના અને પવન કે પ્રાણ-શ્વાસ સાથે જોડાયેલી સાધના એમ ત્રણે માર્ગો ક્યારેક સ્વતંત્ર તો ક્યારેક એકબીજામાં સંયોજિત થઈને ભજનોમાં વર્ણવાયાં હોય. મનપવનશુક્ર(વીર્ય) અને શબ્દને બાંધવાનો ક્રિયાયોગ લોકધર્મી ભજનિક સંતોની વાણીનું મધ્યબિંદુ છેજેને નામ વચનની સાધના કે નૂરત સુરતની સાધના તરીકે ઓળખવામાં આવે છે.
મારે તો અહીં સંધ્યા સમયથી શરૂ કરીને સૂર્યોદય સુધીની સમગ્ર રાત્રિ દરમિયાન કરાતાં ભજનગાન દ્વારા એક ભજનિક / એક ગાયક કઈ રીતે સંતસાધનાના ક્ષેત્રમાં સાધક તરીકે આગળ વધી શકે તેના સંકેતો માત્ર આપવા છે.
ભજનગાન પણ એક જાતની સહજસાધના છે. ભજનગાયક ટટ્ટાર સ્થિર બેઠો હોયએના ખોળામાં એકતારો હોયભજનના ચોક્કસ રાગ ઢાળ અને તાલ સાથે એના શ્વાસ-પ્રાણનું નિયમન થતું રહેશબ્દોના આરોહ અવરોહથી અને શબ્દોના અર્થ ભાવથી એનું ચિત્ત પરિપ્લાવિત કે રમમાણ થતું રહે અને અજાગ્રતપણે એની સુરતા સ્થિર થઈ જાય.
સાખીથી શરૂ કરીને રાત્રિના અગિયાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સંધ્યાઆરતીમાળાગણપતિવંદનાગુરુમહિમા અને વૈરાગ્ય ઉપદેશ બોધ કે ચેતવણીનાં ભજનો ચોહાર રૂપે ચાર ભજનોનાં ઝૂમખાંમાં ગવાય. પછી ગુરુશરણે આવેલા સાધકના મનની મૂંઝવણ આલેખતાં ભજનોનું ગાન શરૂ થાય. ત્યારબાદ ગુરુ દ્વારા સાધનાનું માર્ગદર્શન અપાયું હોયપિંડ ને બ્રહ્માંડનો પરિચય કરાવ્યો હોય તેવાં ચૂંદડીપટોળીચરખોબંગલોહાટડીવગેરે રૂપક પ્રકારનાં ભજનો રાત્રિના બાર સુધી ગાવામાં આવે.
સાખીપરથમ કેને સમરિયે કેનાં લઈએ નામમાત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ.
આરતીઆરતી શ્રી રામનીસંતો બોલો સંધ્યા આરતી
સંધ્યાગરવ કિયો સોઈ નર હાર્યો
માળાગુરુ ના નામની હોમાળા છે ડોકમાં

ગણપતિનાં ભજનોના ત્રણ પ્રકારઊલટપાટ અને નિર્વાણ

ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોયગણપતિ જન્મની કથા હોય કે શુભ પ્રસંગે પધારવા માટેનું નિમંત્રણ હોય.
પરથમ પહેલાં સમરિયે રેસ્વામી તમને સુંઢાળા એવા રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતામે કરોને મારાજ રે (રાવત રણશી)
બીજમારગી મહાપંથી ગુપ્તપાટ ઉપાસના થતી હોયપંચમિયાદસાવીસાબારપહોરામહાકાલીશિવશક્તિરામદેવપીરશંખાઢોળ વગેરે વિધિ-વિધાનોના તંત્રમાર્ગી ગૂઢ જ્યોત ઉપાસના સાથેના પાટપૂજન સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તેમાં જતિ-સતી મળી ગણનાયક ગજાનનને ગત્યગંગામાં પધારવા તથા તેત્રીશ કોટિ દેવી-દેવતાચોરાશી સિદ્ધનવ નાથચોસઠ જોગણીબાવન વીરચાર પીર-ગુરુચાર જુગના કોટવાળચાર જુગના પાટનાં જતિ-સતીને સાથે લાવવા નિમંત્રણ આપે ત્યારે ગવાય પાટના ગણેશ ભજનો -
જમા જાગરણ કુંભ થપાણામળિયા જતિ ને સતીગરવા પાટે પધારો ગુણપતિ… (કેશવ)
નિર્વાણ પ્રકારનાં ગણપતિનાં ભજનો કોઈ સંત-સિદ્ધપુરુષ-ભક્ત-સાધકને સમાધિ-ભૂમિદાહ આપતી વેળા ગવાય છેતેમાં આપણા પિંડ અને બ્રહ્માંડનું સર્જન કેમ થયું તેનું રહસ્યપાંચ તત્વત્રણ ગુણપચીસ પ્રકૃતિસાત ધાતુશરીરનાં નવ દ્વારદશ ઈન્દ્રિયોષટ ચક્રોએનાં દેવી-દેવતાએના બીજમંત્રોવગેરેનું નિરૂપણ હોય છે.

ગુરુમહિમા

ગુરુ બિન જ્ઞાન ઊપજેગુરુ બિન મિટે ભેદગુરુ બિન સંશય ના ટળેભલે વાંચીએ ચારે વેદ.
ભારતીય સાધના ધારાઓની તમામ પરંપરાઓમાં ગુરુશરણભાવનો મહિમા ખૂબ ગવાયો છે. બધા સંત-ભક્ત કવિઓએ પોતાની વાણીમાં ગુરુમહિમાનું ગાન કર્યું છે.
અમારા અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા રે જી (દાસી જીવણ)
ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો. નિરભે નામ સુણાવો (ભવાનીદાસ)
ગુરુ તારો પાર પાયોપ્રથમીના માલિક તારો હો..જી (દેવાયત પંડિત)
સદગુરુ તારણહારહરિ ગુરુ ! તમે મારા તારણહારઆજ મારી રાંકુંની અરજું રે… (ડુંગરપૂરી)

વૈરાગ્ય ઉપદેશબોધ-ચેતવણી

સદગુરુનું શરણ મળી જાય પછી નવાસવા સાધકને ગુરુ માર્ગે ચાલવા માટે અને ક્ષણભંગુર એવી કાયા તથા માયાનો મોહ છોડવા માટે શું કરવુંશું કરવુંશેનાથી બચવું તેની શિખામણ આપે.
  • બેલીડા બેદલનો સંગ ના કરીએ. (રતનદાસ)
  • મળ્યો મનુષ જનમ અવતાર… (ગંગાદાસ)
  • દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ… (કંથડનાથ)
  • સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ (ગોરખ)
  • હે જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં ઘડી રાખે ભાઈ… (ભોજાભગત)
  • વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા મારી વાડીના ભમરલા..(દાસી જીવણ)
  • ભૂલ્યાં ભટકો છો બારે મારા હંસલા ! કેમ ઊતરશો પારે
જડી હળદરને હાટ માંડયુંવધી પડ્યો વેપાર રે જી
સાવકાર થઈને ચળી ગિયો તું માયાના એંકારે મારા હંસલા… (દાસી જીવણ)

મનની મૂંઝવણ

સદગુરુની શિખામણ મળ્યા પછી સાધનામાં આગળ વધવા માગતા સાધકના ચિત્તમાં વંટોળ જાગેમન સ્થિર થાય નહિવૈરાગ્યભાવ પૂરો પ્રગટે નહિ એટલે ગુરુ આગળ પોતાના મનની મૂંઝવણ રીતે વ્યક્ત કરે -

સાધના માર્ગદર્શન

શિષ્યના પિંડ અને પ્રકૃતિની પાત્રતા જોઈને ગુરુ એની લાયકાત મુજબ જે પચાવી શકેએવી સાધનાની કૂંચીઓ બતાવે. સ્થૂળથી શરૂ કરીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ કેડીએ સાધકને દોરી જાય. સૌથી પહેલાં તો શરીરની પિછાન કરાવે. પિંડનું બંધારણએની શક્તિએનું સામર્થ્યને છતાં એની ક્ષણભંગુરતા બંગલોચરખોરેંટિયોચૂંદડીપટોળીમોરલોહાટડીનિસરણીજંતરી જેવાં રૂપકોથી કાયાની ઓળખાણ કરાવીને પછી આંતર પ્રવેશ કરાવે. સાથોસાથ પિંડશોધનનો ક્રિયાયોગ પણ શીખવતા રહે.

કાયાનગરી ચૂંદડીપટોળીચરખોહાટડી વગેરે રૂપકાત્મક ભજનો

રાતના બાર વાગ્યે નિર્ગુણ-નિરાકારની જ્યોત પ્રગટ થયા પછી થાળઆરતીસાવળઆરાધરવેણીઆગમહેલીઅનહદનાદ અને પ્યાલાનું રૂપક ધરાવતી રહસ્યવાણી શરૂ થાયજેમાં યોગાનુભવથી સાંપડેલી મસ્તીનું વર્ણન હોય.

નિર્ગુણ જ્યોત આરતી

સાવળ

આરાધ

ગળતી માજમ રાતે પછી ધીર ગંભીર કંઠેઆરાધના સૂર મંડાય. ‘આરાધપ્રકારનાં ભજનોમાં આપણને અસલ-પ્રાચીન તળપદા વિવિધ ઢંગ સાંભળવા મળેજેમાં સાધકને ચેતવણી પણ અપાઈ હોય કે સાધુતા પચાવવી સહેલી નથી. તેમ ધીરે ધીરે હરિરસ ભક્તિરસ પ્રેમરસનું પાન કરજો.

રવેણી

આદુની રવેણી કહું વીસતારી…(કબીર)

આગમ

આપણા ગુરુએ સત ભાખિયાં જૂઠડાં નહીં રે લગાર
લખ્યા રે ભાખ્યા રે સોઈ દન આવશે… (દેવાયત પંડિત)

પ્યાલો

અનહદ નાદ

નાદના બે પ્રકાર છેએક આહત નાદઆઘાત ધ્વનિજે કોઈપણ જાતના આઘાતથી ઉત્પન્ન થાયબે મંજીરા ટકરાય ને રણકાર ઊપજેબે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાયઆપણા ઉચ્છવાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ- શબ્દ બહાર પડેપણ બીજો એક નાદજેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો સાંભળી શકે છેજેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથીજેને કોઈ પ્રકારનાં આરંભમધ્યઅંતસીમા કે બંધન નથી અને તે અનાહત નાદ- અનહદ નાદને વર્ણવતાં અનેક ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.
દેખંદા કોઈ દિલ માંય નિરખંદા કોઈપરખંદા કોઈ દિલ માંય ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… (દાસી જીવણ)

યોગાનુભૂતિ

  • ગુરુ મારી નજરે મોતી આયા. હે જી મેં તો ભેદ બ્રમ રા પાયા… (અરજણ)
રાત્રિના અઢી-પોણા ત્રણ પછીસાધકને આત્મસાક્ષાત્કાર થયા પછીની બ્રહ્મસાક્ષાત્કારની વિરહ ઝંખના વર્ણવતાં સંદેશોકટારીમહિના ને અરજ જેવા હરિમિલનની વ્યાકુળતા વર્ણવતાં અને નિર્ગુણ-સગુણનો સમન્વય કરીને અતિ વિલંબિત ગાયકીથી તીવ્ર વેદના જન્માવતાં સામેરીના ઢંગમાં પરજ પ્રકારનાં ભજનો ગવાય.

વિરહવેદના

  • જેને વાલાંથી વિજોગ રેસુખેથી મન કોઈ દિ સૂવે નૈં… (સવારામ)

કટારી

પરજ

રાત્રિના સાડા ચાર પછી રામગરીપાંચ પછી પ્રભાતી અને સાડા પાંચ પછી પ્રભાતિયાં ગવાય

રામગરી

પ્રભાતિ

જાગો લોકો મત સૂઓમત કરો નિંદસે પ્યારજેસો સપનો રેન કોએસો હે સંસાર.

પ્રભાતિયાં

  • હે ઊગિયા સૂરજ ભાણ નવે ખંડમાં હુવા જાણ ગત ને ગંગા મળી ને નિત કરે પરણાંમ રામ… (મૂળદાસ)
  • હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે… (નરસિંહ)
  • હે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુપુરુષને સૂઈ રહેવું
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું… (નરસિંહ)
  • અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ… (નરસિંહ)
  • જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો… (નરસિંહ)
સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના સમગ્ર રાત્રિ દરમિયાન ગવાતાં ભજન પ્રકારોના પરંપરિત રાગ-ઢાળ-તાલ. તો યાત્રા હતી આપણી ભજનસરવાણીનીભજન ગાવા કે સંભળાવવાની ચીજ નથીભજન તો જીવવાની અને ઝીલવાની ચીજ છે. ભજનનો એક શબ્દ પણ આપણા અંતરમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય

No comments:

Post a Comment